• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

મહાભારતનાં યુદ્ધમાં કોણ બનાવતું હતું લાખો સૈનિકોનું ભોજન?

 


આજથી અંદાજે ૫૦૦૦ વર્ષ પહેલા કુરુક્ષેત્રનાં મેદાનમાં હસ્તિનાપુરના જ એક ઘરના બે પરિવારો વચ્ચે લડાયેલું મહાભારતનું યુધ્ધ વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના હતી. કૌરવ પક્ષની ૧૧ અક્ષૌહિણી સેના અને પાંડવ પક્ષની ૭ અક્ષૌહિણી સેના વચ્ચે થયેલું આ ૧૮ દિવસના યુધ્ધની ભયાનકતાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. આશરે ૫૦,૦૦,૦૦૦ યોદ્ધાઓ રણભૂમિ પર ઉતર્યા હતા!

આટલા માણસોનાં ભોજનનું શું?આવો પ્રશ્ન કદાચ તમારા મનમાં કદી જાગ્યો નહી હોય. જાગ્યો હશે તો પણ તેનો ઇચ્છીત જવાબ નહી મળ્યો હોય. દરરોજ આટલા યોદ્ધાઓને ખવડાવવું શું? રણભૂમિ હસ્તિનાપુરથી જોજનો દૂર હોવાને નાતે સ્વાભાવિક છે કે ઘરેથી તો ભોજન ના આવતું હોય! ભોજનની વ્યવસ્થા તો રણમેદાનમાં જ કરવી પડે. પણ આટલા સૈનિકોને ખાવાનું પૂરું પાડવું એ કંઈ ખાવાના ખેલ તો હતા નહી! યુધ્ધની શરૂઆતમાં સૈનિકોનો આંકડો ૫૦ લાખનો હતો. વળી, દરેક દિવસે હજારો સૈનિકો યુધ્ધમાં મૃત્યુ પામે. એટલે દરરોજ જીવતા રહેલા સૈનિકોની સંખ્યા પ્રમાણે ભોજનમાં પણ ફેરકાર કરવો પડે. દરરોજ હજારોની સંખ્યામાં મૃત્યુ પામતા સૈનિકોના ભાગનું ભોજન વધી પડે એ તો લગીરે પોસાય નહી. કુંતીપુત્ર અર્જુન, મહારથી ભીષ્મ, અંગરાજ કર્ણ કે આચાર્ય દ્રોણાચાર્યની કમાનમાંથી સરખી રીતેછટકેલું એક બાણ હજારો સૈનિકોનો સોંથ વાળી નાખે તો રાત્રીભોજન બનાવતા રસોઈયાઓએ પણ એ પ્રમાણે દાળ-શાકમાં ઘટાડો કરવો પડે!પણ સવાલ એ થાય કે, આ સંખ્યા ગણવી કેવી રીતે? એ કામ જ અસંભવ હતું. જો કે, કુરુક્ષેત્રનાં યુધ્ધમાં કાયમ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સૈનિકોને ભોજન પિરસાયું હતું! કાયમ સૈનિકોની સંખ્યા પ્રમાણે જ ખોરાક રંધાતો અને એમાં તલભાર પણ વધઘટ નહોતી થતી! આ કેવી રીતે શક્ય બન્યું? કર્યું કોણે? અહીં એ પેચીદા પ્રશ્નનો એકદમ રોચક ખુલાસો આપ્યો છે :
લડવા આવેલી ઉડુપીની સેના રસોડું સંભાળવા લાગી!:
મહાભારતના યુધ્ધમાં બે વ્યક્તિઓએ પ્રત્યક્ષ રીતે ભાગ નહોતો લીધો એવું આપણે સૌ જાણીએ છીએ. એક હતા બલરામ અને બીજા રૂક્મી(ભગવાન કૃષ્ણના પત્ની રૂક્મણીના ભાઈ). બહુ ઓછા લોકો જાણે છે કે આ સિવાય એક ત્રીજી વ્યક્તિ પણ આ યુધ્ધમાં નિષ્પક્ષ રહી હતી. એ હતા ઉડુપીના મહારાજા(ઉડુપી કર્ણાકટમાં આવેલું છે). મહાભારતનાં યુદ્ધ માટે મળેલું નિમંત્રણ સ્વીકારીને ઉડુપીના રાજા સેના લઈને લડવા તો આવ્યા હતા. પણ અહીં આવીને એમણે જોયું તો તેમની સેનાને પોતપોતાના પક્ષમાં રાખવા માટે પાંડવો-કૌરવોમાં જોરદાર ખેંચતાણ થઈ રહી હતી. વળી, આ તો ભાઈ-ભાઈ વચ્ચેનું યુધ્ધ હતું. આમ ઉડુપીના મહારાજાનું મન ખાટું થઈ ગયું અને તેમણે યુધ્ધમાં સામેલ થવાની ઘસીને ના પાડી.એ પછી એક દિવસ ઉડુપીરાજ ભગવાન કૃષ્ણને મળ્યા અને કહ્યું કે, વાસુદેવ! આપની આજ્ઞા હોય તો કુરુક્ષેત્રમાં અકઠી થતી સેના માટે હું અને મારા સૈનિકો કાયમ માટે ભોજનનો પ્રબંધ કરવા તૈયાર છીએ. કૃષ્ણ ઉડુપીરાજના આ વિચારથી બહુ પ્રભાવિત થયા. તેમને આવેલો વિચાર પ્રશંસનીય હતો અને મૂળભૂત હતો. ભગવાને અનુમતિ આપી.

ભોજનમાં વધઘટ ન થતી હોવાનું કારણ:
૧૮ દિવસ ચાલેલું મહાભારતનું યુધ્ધ પૂર્ણ થયું. પાંડવોનો ધર્મવિજય થયો. હસ્તિનાપુરની ગાદી પર ભારતપતિ મહારાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. એ પછી એક દિવસ મનમાં ઘણી ઉત્તેજના જગાડતો પ્રશ્ન યુધિષ્ઠિરે દરબારમાં હાજર રહેલા ઉડુપીરાજને પૂછી નાખ્યો,
“ઉડુપીનરેશ! હસ્તિનાપુર તમારો આભાર માને એટલો ઓછો છે. અમારા સર્વ માટે તમે યુધ્ધના દિવસોમાં ભોજનની જે વ્યવસ્થા કરી આપેલી તેનો ઉપકાર ચૂકવી શકાય એવો નથી. પણ મને આશ્વર્ય એ વાતનું થાય છે કે, તમે ભોજનમાં આટલી ચોક્કસાઈ કેવી રીતે રાખી? રોજ અગણિત સૈનિકો મૃત્યુ પામે છતા તમે ભોજન માટે નિશ્વિત સંખ્યાનો આંકડો કેવી રીતે તારવી શકતા હતા કે જેથી કરીને અન્નનો એક દાણો પણ વધઘટ ના પામે?”
યુધિષ્ઠિર દ્વારા પૂછાયેલા સવાલ સામે ઉડુપીરાજે પણ સવાલ કર્યો, “ધર્મરાજ! તમારી પાસે ૭ અક્ષૌહિણી સેના હતી અને સામે પક્ષે કૌરવો પાસે ૧૧ અક્ષૌહિણી. સંખ્યાબળમાં દુર્યોધનનું લશ્કર તમારાથી સવાયું હતું, છતાં પણ તમે જીત્યા. આનો શ્રેય કોને જાય છે?”
“અલબત્ત, ભગવાન શ્રીકૃષ્ણને!” યુધિષ્ઠિરે જવાબ આપ્યો.“તો ભોજનનો ચોક્કસાઈપૂર્વકનો પ્રબંધ થયો એ પણ બીજા કોનું કામ હોય, મહારાજ?” મંદ સ્મિત સાથે ઉડુપીનરેશે ખુલાસો કર્યો,“યુધ્ધ દરમિયાન દરરોજ રાત્રે હું શિબિરમાં વાસુદેવ પાસે ગણીને મગફળી લઈને જતો. મેં આપેલી મગફળી તેઓ ખાતા. જેટલી મગફળી તેઓ ખાય એના હજારગણા સૈનિકોની આવતીકાલે ભોજનમાંથી બાદબાકી કરવાની છે એ મને સમજાય જતું! વાસુદેવ ૧૦ મગફળી ખાય એનો મતલબ એ કે એના દસ ગણા અર્થાત્ ૧૦,૦૦૦ સૈનિકો કાલે રણભૂમિમાં શહીદીને વરવાના છે માટે એમનું ભોજન નથી બનાવવાનું!”આ અવિશ્વિશનીય આયોજન પાછળ વાસુદેવનો હાથ હતો એ જાણી સહુ આશ્વર્યચકિત થઈ ગયા.

Share:

અજબ ચોર

 


- ઝવેરચંદ મેઘાણી

એક હતો ચોર. એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહિ.
એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા. રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો. એટલામાં એક વાણિયો નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો.
ચોર કહે : ‘શેઠજી, પૂરું પાણી તો પી લ્યો !’
વાણિયો કહે : ‘બસ ભાઈ, મારે વધારે નથી પીવું.’
ચોર કહે : ‘શેઠ, તમે ભડકો મા. હું તમને નથી લૂંટવાનો. વિશ્વાસ રાખો, ને પાણી પી લ્યો. મારે તો મોટી ચોરી કરવાની છે.
વાણિયે પાણી પીધું. ચોર કહે : ‘શેઠ ! તમારી પાસે આ લાકડી છે, તે મને આપો. પૈસા દઉં.’
વાણિયાના મોઢા ઉપરથી લોહી ઊડી ગયું. એ બોલ્યો : ‘ભાઈ, મારાથી લાકડી વિના હલાય નહિ. લાકડીને ટેકેટેકે તો હું હાલું છું. આંહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ?’
ચોરે લાકડી ઝૂંટવી લીધી, અને એને ચીરી ત્યાં તો માંહેથી ચાર રત્નો નીકળ્યાં.
દાંત કાઢીને ચોર કહે : ‘શેઠજી, તમને મેં અભયવચન દીધેલું, તો યે તમે મારી પાસે ખોટું બોલ્યા ! લ્યો તમારાં રત્ન. મારે એ ખપે નહિ, તમે ક્યે ગામ જાઓ છો ?
શેઠ કહે : ‘ઉજેણી નગરી.’
ચોર કહે : ‘ઉજેણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ, માટે હુશિયાર રહે.’
વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા.
રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો ! આવો બહાદુર ચોર કોણ હશે ? આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે !
રાજાએ હુકમ કર્યો કે ‘આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું, માટે બધા સિપાઈને રાતે રજા આપવી. કોઈએ આજ રાતે જાગવાનું નથી. નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય.’
રાજાજી તો દેવતાઈ પુરુષ હતા. એના વચન ઉપર બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા. ગામનાં માણસો પણ સૂઈ ગયાં. નગરના ગઢના દરવાજા દેખાઈ ગયા. આપ આ મજેદાર પોસ્ટ જલ્સા કરોને જેંતીલાલ પર વાંચી રહ્યા છો.
રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક જગ્યાએ ઊભા રહ્યા. એને લાગ્યું કે આંહીંથી ચોર ઊતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે. એટલે તે પાછો ઊતરવા મંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી.
ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે. એટલે એ અંદર આવ્યો. વિક્રમ રાજા કહે કે, ‘ચાલ દોસ્ત, હું આ ગામનો ભોમિયો છું, તને સારાં ઠેકાણાં બતાવું.’
બન્ને જણા ચાલ્યા. ચાલતાં ચાલતાં એક શાહુકારનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય, ત્યાં શેઠ-શેઠાણી ભર ઊંઘમાં સૂતેલાં. ચોર થોડી વાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યાં કે : ‘કોણ એ, ભાઈ !’
આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ‘ચાલો, બીજે ઘેર. આંહી ખાતર નથી પાડવું.’
રાજા કહે : ‘કાં ?’
ચોર બોલ્યો : ‘શેઠાણીએ મને ‘ભાઈ’ કહ્યો. બહેનને તો કાંઈક દેવાય.’ એમ કહી પાછો અંદર ગયો. પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો.
પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા.
ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલાં. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં એમ થયું કે આ શુકનની સાકર છે. એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો.
રાજા કહે : ‘કેમ થયું ?’
ચોર બોલ્યો : ‘ભાઈ, આ ઘરનું લૂણ (મીઠું) મારા પેટમાં પડ્યું. મારાથી લૂણહરામ થવાય નહિ. ચાલો, બીજે ઘેર !’
રાજાને થયું કે ‘આ તે ચોર કે સંત !’
ત્રીજે ઘેર ગયા; રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે, ‘ભાઈ, શુકન તો સારાં થયાં. જાર હાથમાં આવી. પણ જે ઘરમાં શુકન થયાં તે ઘરને કાંઈ લૂંટાય ? એ શુકન તો હવે ફળવાનાં. ચાલો, બીજે ઘેર.’
રાજા કહે : ‘ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ.’બેઉ જણા ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા; ત્યાં એક પણ ચોકીદાર ન જોયો.
ચોર પૂછે છે : ‘ભાઈ ! આ તે શું ? ગામમાં કોઈ ચોકીદાર જ નહિ ! દરબારગઢમાં યે કોઈ માણસ નહિ. રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને !’
રાજા કહે : ‘અરે ભાઈ ! એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. આંહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન નથી દેતાં.’
મહેલમાં રાણીજી હીંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે ‘આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ. એટલે છોકરાંના છોકરાં બેઠાં બેઠાં ખાય.’
પણ ખાટ શી રીતે કાઢવી ! રાણીજી જાગી જશે તો !
પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાં ખડકવા મંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું.
પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા, અને ચારેય પાયા લઈને બન્ને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા.
પેલો ચોર કહે : ‘લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.’
રાજા કહે : ‘હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.
ચોર કહે : ‘ના, તેં જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે.’
ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી
તરત ચોરે રાજાને કહ્યું : ‘ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે ?’
રાજા હસી પડ્યા અને પૂછ્યું : ‘તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું ?’
ચોરે કહ્યું : ‘રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંહીં જ ઊભો છે !’
રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું. એની નીતિનાં વખાણ કર્યાં. એને રાજમાં નોકરી દીધી.
Share:

जनरल टिकट



जैसे ही ट्रेन रवाना होने को हुई,
एक औरत और उसका पति एक ट्रंक लिए डिब्बे में घुस पडे़।
दरवाजे के पास ही औरत तो बैठ गई पर आदमी चिंतातुर खड़ा था।
जानता था कि उसके पास जनरल टिकट है और ये रिज़र्वेशन डिब्बा है।
टीसी को टिकट दिखाते उसने हाथ जोड़ दिए।
" ये जनरल टिकट है।अगले स्टेशन पर जनरल डिब्बे में चले जाना।वरना आठ सौ की रसीद बनेगी।"
कह टीसी आगे चला गया।
पति-पत्नी दोनों बेटी को पहला बेटा होने पर उसे देखने जा रहे थे।
सेठ ने बड़ी मुश्किल से दो दिन की छुट्टी और सात सौ रुपये एडवांस दिए थे।
 बीबी लोहे की पेटी के साथ जनरल बोगी में बहुत कोशिश की पर घुस नहीं पाए थे।
 लाचार हो स्लिपर क्लास में गए थे।
" साब, बीबी और सामान के साथ जनरल डिब्बे में चढ़ नहीं सकते।हम यहीं कोने में खड़े रहेंगे।बड़ी मेहरबानी होगी।"
टीसी की ओर सौ का नोट बढ़ाते हुए कहा।
" सौ में कुछ नहीं होता।आठ सौ निकालो वरना उतर जाओ।"
" आठ सौ तो गुड्डो की डिलिवरी में भी नहीं लगे साब।नाती को देखने जा रहे हैं।गरीब लोग हैं, जाने दो साब।" अबकि बार पत्नी ने कहा।
" तो फिर ऐसा करो, चार सौ निकालो।एक की रसीद बना देता हूँ, दोनों बैठे रहो।"
" ये लो साब, रसीद रहने दो।दो सौ रुपये बढ़ाते हुए आदमी बोला।
" नहीं-नहीं रसीद दो बनानी ही पड़ेगी। ऊपर से आर्डर है।रसीद तो बनेगी ही।
चलो, जल्दी चार सौ निकालो।वरना स्टेशन रहा है, उतरकर जनरल बोगी में चले जाओ।"
इस बार कुछ डांटते हुए टीसी बोला।
आदमी ने चार सौ रुपए ऐसे दिए मानो अपना कलेजा निकालकर दे रहा हो।

दोनों पति-पत्नी उदास रुआंसे
ऐसे बैठे थे ,मानो नाती के पैदा होने पर नहीं उसके शोक  में जा रहे हो।
कैसे एडजस्ट करेंगे ये चार सौ रुपए?
 क्या वापसी की टिकट के लिए समधी से पैसे मांगना होगा?
नहीं-नहीं।
आखिर में पति बोला- " सौ- डेढ़ सौ तो मैं ज्यादा लाया ही था। गुड्डो के घर पैदल ही चलेंगे। शाम को खाना नहीं खायेंगे। दो सौ तो एडजस्ट हो गए। और हाँ, आते वक्त पैसिंजर से आयेंगे। सौ रूपए बचेंगे। एक दिन जरूर ज्यादा लगेगा। सेठ भी चिल्लायेगा। मगर मुन्ने के लिए सब सह लूंगा।मगर फिर भी ये तो तीन सौ ही हुए।"
" ऐसा करते हैं, नाना-नानी की तरफ से जो हम सौ-सौ देनेवाले थे , अब दोनों मिलकर सौ देंगे। हम अलग थोड़े ही हैं। हो गए चार सौ एडजस्ट।"
पत्नी के कहा।
 " मगर मुन्ने के कम करना....""
और पति की आँख छलक पड़ी।
" मन क्यूँ भारी करते हो जी। गुड्डो जब मुन्ना को लेकर घर आयेंगी; तब दो सौ ज्यादा दे देंगे। "
कहते हुए उसकी आँख भी छलक उठी।
फिर आँख पोंछते हुए बोली-
" अगर मुझे कहीं मोदीजी मिले तो कहूंगी-"
 इतने पैसों की बुलेट ट्रेन चलाने के बजाय, इतने पैसों से हर ट्रेन में चार-चार जनरल बोगी लगा दो, जिससे तो हम जैसों को टिकट होते हुए भी जलील होना पड़े और ना ही हमारे मुन्ने के सौ रुपये कम हो।"
उसकी आँख फिर छलक पड़ी।
" अरी पगली, हम गरीब आदमी हैं, हमें वोट देने का तो अधिकार है, पर सलाह देने का नहीं। रो मत।

Share:

સરિતાની શરત





અત્યાર સુધીમાં સરિતાનાં લગ્નની ત્રણેક વાતો આવી હતી. છોકરાઓ સરિતા સાથે કલાક બે કલાક હોંશથી વાતો કરતા. સરિતા ભણેલી, ગ્રેજ્યુએટ હતી, સરકારી ઑફિસમાં સારા પગારની નોકરી હતી. રૂપાળી, આકર્ષક હતી. છોકરો એની સાથે લગ્ન માટે તૈયાર થઈ જતો, પણ પછી સરિતા અંતમાં છોકરાને એવું કંઈ કહેતી કે છોકરો ભડકીને ભાગી જતો. અત્યાર સુધીમાં બધી વાતોમાં આમ જ બન્યું હતું અને આ પ્રશ્ને સરિતાની મમ્મી શારદાબેન, પપ્પા શાંતિલાલ, સગાંસાથી, સરિતાની સહેલીઓ બધાં પરેશાન હતાં.

સરિતા, છોકરાને એવું તે શું કહેતી હતી કે સરિતા સાથે કશી પૂર્વશરત વગર જીવન જોડવા તૈયાર થતો છોકરો પછી હાકે નાકહેવાની પણ તસ્દી લેતો નહીં, અને સરિતાનાં મમ્મી-પપ્પા છોકરા તરફથી જવાબની અપેક્ષાએ કાગના ડોળે રાહ જોઈ રહેતાં. છોકરા તરફથી કશો જવાબ આવતો નહીં, આથી બંને, શારદાબેન અને શાંતિલાલ રઘવાયાં થઈ જતાં, સરિતાને પુછાપુછ કરતાં, એની પાસેથી સંતોષકારક ખુલાસો મળતો નહીં. આથી સરિતાની જેટલી સહિયર-મિત્ર હતી, એ બધીને પૂછતાં, ‘સરિતાને કોઈ સાથે સંબંધ છે? તમને ખબર હોય તો કહો, અમે તપાસ કરી યોગ્ય લાગશે તો ચોક્કસ સરિતાની ઈચ્છા પ્રમાણે કરીશું.કારણ દિવસે દિવસે સરિતાની ઉંમર વધતી હતી. હાલ સરિતાને બાવીસમું ચાલતું હતું, પછી તેવીસ, ચોવીસ અનેસરિતાનાં મમ્મી-પપ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

પહેલી બે વાતમાં બન્યું, એવું જ ત્રીજી વાર પણ થયું. છોકરો વાત કરીને ગયો, પછી કશી હા-ના કહેવડાવી નહીં. બાકી આ વખતે બંને પતિ-પત્નીએ ખૂબ તૈયારી કરી હતી. ખાવાપીવામાં, ઊઠવાબેસવાનું, અને બીજી નાની બાબતોમાં પણ ક્યાંય કચાશ રહી ના જાય, એની શારદાબેને ઝીણવટથી કાળજી રાખી હતી. સરિતાનેય શણગારવામાં કશી ઊણપ રાખી નહોતી. આમ તો, સરિતાના દેખાવમાં કશું કહેવાપણું ન હતું. સીદીસાદી પણ આકર્ષક હતી અને સરિતાને પોતાને પાવડર ફાવડરના ઠઠારા પસંદ ન હતા. ઓફિસમાં પણ સાદીસીધી જતી, આથી સાથે કામ કરતી બીજી એની ઉડાવતાં કહેતી, ‘સરિતાબેન થોડાં વરણાગી બનો. આ શું જાણે વેરાગ ઓઢી લીધો હોય, એમ આવો છો !અને સરિતા માત્ર હસતી. શારદાબેનને કદાચ છોકરા તરફથી કશો ઉત્તર મળતો ન હતો, એનું કારણ સરિતાના આ વરણાગીવેળા લાગ્યા હશે. આથી સરિતાની ખૂબ નારાજગી અને દલીલો છતાં એમણે એને બ્યુટીપાર્લરમાં મોકલી, અને એક કલાકની સરિતાના ચહેરા પરની ઘસાઘસ અને જાતજાતના થપેડા પછી સરિતાના ચહેરાની સિકલસૂરત બદલાઈ ગઈ. કલાકનો અસહ્ય ત્રાસ વેઠીને મેળવેલી કૃત્રિમ સુંદરતા જોઈ, સરિતા મનોમન હસી. પણે એને એક વાતનું આશ્ચર્ય એ થયું કે અરીસામાં સરિતા ખુદને જોઈ ભુલાવામાં પડી ગઈ હતી. સરિતા સાથે શારદાબેન અને શાંતિલાલે પણ એમનામાં દેખાતી ઊણપ દૂર કરવા પ્રયત્ન કર્યો અને છોકરાની મુલાકાતનો દિવસ નજીક આવતો ગયો, એમ ઘરમાં અને સભ્યોમાં ખાસ્સો બદલાવ આવી ગયો.

જો છોકરી, જરા વ્યવસ્થિત રહેજે, અને છોકરાને વ્યવસ્થિત જવાબ આપજે.શારદાબેને સરિતાને શિખામણ આપતાં કહ્યું, ‘વારેવારે આવાં નાટક સારાં લાગે છે?’

શાનાં નાટક ! અને હું નાટક કરું છું?’ સરિતા તોછડા સ્વરે બોલી. છોકરાને હું પસંદ પડતી ના હોઉં તો ના પાડે. એમાં તને શાનાં નાટક લાગે છે?’

પણ કેમ, કેમ પસંદ નથી પડતી, તારામાં છોકરાઓને શું ઊણપ લાગે છે?’ ‘એ તો આ વખતે તું જ પૂછી લેજે.સરિતાએ કહ્યું. પછી અટકીને બોલી, ‘એમ કર, આ વખતે મારા બદલે તું છોકરા સાથે વાત કરજે.શારદાબેનને ધનન્‍ વ્યાપી ગઈ, પણ ગમ ખાઈ ગયાં. સરિતાના સ્વભાવથી પૂરાં પરિચિત હતાં. સ્વભાવે શાંત, પણ ગરમ થાય તો, કોઈની સાડાબારીની પરવા નહીં રાખનારી સરિતા સાથે શારદાબેન ફૂંકીફૂંકીને પગલાં ભરતાં હતાં અને એ તો સરિતા સમજણી થઈ, ત્યારથી જ શારદાબેનને એનો પરિચય થઈ ગયો હતો.

શારદાબેન અને શાંતિલાલ બંને શિક્ષક હતાં. આથી સરિતાને એની દાદી-શાંતિલાલની મા પાસે મૂકી બંને શાળામાં જતાં અને સરિતા દાદીના હાથમાં જ ઉછરીને મોટી થઈ, એટલે એને મમ્મી-પપ્પા કરતાં દાદી પ્રત્યે વધારે લગાવ રહ્યો. એને બાલમંદિરમાં મૂકી, ત્યારે દાદી જ એને મૂકવાલેવા જતી. દાદી સાથે જમવાનું, રમવાનું અને રાતે સૂવાનુંય દાદી સાથે. દાદીની વાતો સાંભળતાં, સાંભળતાં સરિતા ઊંઘી જતી. દાદીની વાતો સાંભળવાનું એને વ્યસન થઈ ગયું હતું. વાતો ના સાંભળે ત્યાં સુધી સરિતાને ઊંઘ જ આવતી નહીં. દાદીએ જ એને સાદાઈથી રહેવાના પાઠ ભણાવ્યા હતા, અને સરિતાએ એને અપનાવી લીધા હતા અને શારદાબેનને તો, છોકરી સાસુ પાસે જ રહેતી હતી, એટલે નિરાંત હતી. ગમે ત્યાં ફરવા જવાનું કે વહેલા-મોડા ઘેર આવવામાં છોકરીથી કશી અગવડ થતી નહોતી. મનમાં ઈચ્છતાં, ‘ભલે ડોશી પાસે રહેતી.અને એમાં સરિતાને દાદીની એવી માયા લાગી કે સરિતા શાળાએથી ઘેર આવે એટલે બીજા કોઈને નહીં, દાદીને શોધે. સરિતા કૉલેજમાં દાખલ થઈ, તોપણ દાદી જ એનું સર્વસ્વ હતી. કૉલેજની બધી વાતો, ઘેર આવી સીધી દાદીને કહેતી. પછી છોકરાની હોય, છોકરીઓની હોય, એના પ્રોફેસરની કે પટાવાળાની. પણ આવીને કપડાંય બદલતી નહીં અને દાદી આગળ રામાયણ માંડતી અને દાદી રસથી એની વાતો સાંભળતી. પછી ભલે દાદી સમજતી કે ના સમજતી. સરિતા પાકટ સમજણી થઈ, પછી પણ દાદી વગર એની સવાર થતી નહીં. ગમે ત્યાં જવાનું થતું ત્યારે પણ દાદીને આગળ કરતી. એકવાર કૉલેજના વાર્ષિક દિનની ઉજવણીમાં મમ્મી-પપ્પાને પડતાં મૂકી, દાદીને તૈયાર કરી અને શારદાબેન લારા જેવાં થઈ ગયાં. છોકરી, તારી દાદી વગર તને કોઈ દેખાતું જ નથી?’ શારદાબેન ઊંચા અવાજે બોલ્યાં. તમને કોઈ દેખાય છે? તું અને પપ્પા ગમે ત્યાં મને કે દાદીને પડી મૂકીને નથી જતાં? મારી વાત છોડ, બિચારી દાદી આખો વખત ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહે છે, આખા ઘરના દિવસ ઊગે તે રાત સુધી ઢસરડા કર્યા કરે છે, પણ તેને બહાર ફરવા લઈ જવાની વાત તો બાજુએ રહી, એની સાથે બેસી કદી વાત સરખી કરો છો તમે? અમથો વાંક પડતાં બિચારીને ધધડાવી નાખતાં તને આવડે છે, પણ એની સાથે બેસી એના હાલ પૂછતાં તને નાનાપો આવે છે, પછી મમ્મી મારે છૂટકો છે, એને સાથે લઈ ગયા વગર? એણે મને ઉછેરી મોટી કરી, એણે એની કે એની જાતની પરવા નથી કરી, સાજી હોય કે માંદી, એણે મને કદી ઓછું આવવા નથી દીધું, પછી મમ્મી, તું ક્યા મોંઢે તમારી સાથે સારા વર્તાવની અમારી પાસે આશા રાખે છે?’ સરિતાએ મમ્મી-પપ્પા સામેનો લાંબા સમયનો મનમાં ભરી રાખેલો ઊભરો શારદાબેન આગળ ઠાલવી દીધો. શારદાબેન સમસમી ગયાં, એ સમયે તો, કંઈ બોલ્યાં નહીં, પણ મનમાં એક નિર્ણય કરી લીધો. એ વખતે શાંતિલાલ હાજર ન હતા. સાંજે આવ્યા એટલે બીજી કશી વાતચીત વગર કહી દીધું, ‘હવે આ છોકરી આપણા કહ્યામાં નથી, તમારી માના વાદે ચઢી, આપણને ગણકારતી નથી, તમારી મા, એને આપણી વિરુદ્ધ ચઢાવી મારે છે. એનું કંઈ કરો.

શું કરું?’ શાંતિલાલે પૂછ્યું.

એય મને પૂછવાનું, એટલીય અક્કલ નથી ચાલતી? મૂકી આવો ડોશલીને વૃદ્ધાશ્રમમાં. એટલે બેયની ચરબી ઊતરી જશે.શારદાબેન ગુસ્સામાં બોલ્યાં.

સરિતા કૉલેજમાં હતી, કૉલેજથી ઘેર આવી. આદત મુજબ એણે દાદીને શોધી. દાદી જ્યાં હોવાની શક્યતા હતી, બધી જગ્યાએ દાદીને શોધી નાખી, દાદી ક્યાંય ન હતી. શારદાબેનને પૂછ્યું, ‘મમ્મી ! દાદી ક્યાં ગઈ?’

મારી જૂતી જાણે !શારદાબેન મરડમાં બોલ્યાં. સરિતાને દાળમા કાળું લાગ્યું. એના રૂમમાં ગઈ, દાદીના વિરહમાં સૂનમૂન થઈ ગઈ, ખાવાપીવામાંથી રુચિ મરી ગઈ. એણે એની રીતે દાદીની તપાસ કરી. ભાળ મળી, તરત વૃદ્ધાશ્રમમાં દાદીને મળવા ગઈ. દાદીને વળગી, રડી પડી ચાલ દાદી, હું તને લેવા આવી છું. તારે અહીં ઘડીવાર રહેવાનું નથી.રોતલ અવાજે સરિતાએ કહ્યું.

ના, સરુ બેટા, તું જા, હવે હું કદી નથી આવવાની. ભલે અહીં મોત આવે. હવે તારાં મા-બાપનું હું મોં જોવા જ માગતી નથી. તું તારે જા બેટી, અઠવાડિયે એકવાર મને મળવા આવજે. જા ધ્યાનથી અભયાસ કરજે, મારી ચિંતા ના કરીશ. તારા વગર મને ગમશે નહીં, પણ ગમાડવું પડશે, બેટા નસીબ મારાં.સરિતાના માથે હાથ મૂકતાં દાદી બોલી. સરિતા ફરી દાદીને વળગી ધ્રુસકે ચઢી ગઈ.

સરિતાની કૉલેજ પતી ગઈ, નોકરી મળી અને એના લગ્નની વાત ઉપાડી, સારી નોકરી કરતા, દેખાવડા છોકરાની વાતો આવી, સરિતા સાથે મુલાકાત ગોઠવાતી, સરિતા સાથે લગ્ન કરવા છોકરો તૈયાર થઈ જતો, પણ મુલાકાતના અંતમાં સરિતા છોકરાને એવું કંઈ કહેતી, અને છોકરો ભડકતો અને લગ્નની ના પાડી દેતો. ત્રણ છોકરા સાથે સરિતાએ મુલાકાત કરી, અને ત્રણે છોકરા સાથે આમ બન્યું. શારદાબેન અને શાંતિલાલ ચિંતામાં પડી ગયાં. છોકરીની ઉંમર વધે છે, અને એનું ઠેકાણું પડતું નથી, કારણ શું છે, કેમ છેલ્લી ઘડીએ વાત મરડાઈ જાય છે?’ શારદાબેન મનોમંથનમાં પડ્યાં. બધી બાબતોને ચકાસી, એમનામાં કશી ઊણપની તપાસ કરી, સીધીસાદી સરિતાને છેલ્લીવાર બ્યુટીપાર્લરમાં મોકલી, શણગારી છતાં….. ‘જાવને, આમ બેસી રહે દાડો વળશે?’ શારદાબેને શાંતિલાલને કહ્યું.

ક્યાં? ક્યાં જઉં?’ અસમજભાવે શાંતિલાલે પૂછ્યું, ‘આ છોકરીનું ઠેકાણું પડતું નથી, છેક આવેલી વાત તૂટી જાય છે, જરી તપાસ કરો, કારણ શું છે?’ શારદાબેને કહ્યું.

પણ કોને પૂછું, છોકરાને ત્યાં જઈને પૂછી આવું?’ શાંતિલાલ બોલ્યા.

શારદાબેને માથું કૂટ્યું, ‘બાપ, બેટી બેય મારા માથે પડ્યાં, મારા શા ભોગ લાગ્યા ! જાવ જઈને આ છેલ્લા છોરાની વાત જે લાવ્યો હતો એ વચેટિયાને મળો, પૂછો કે લ્યા ભઈ, શું છે, કેમ છોકરો ના પડે છે. ના પાડવાનું કારણ તો ખબર પડે.

શાંતિલાલ વચેટિયાને મળ્યા, એની વાત સાંભળી, શાંતિલાલ હેરત પામી ગયા. વચેટિયાની વાત પર એમને વિશ્વાસ બેસતો ન હતો. એ માનવા જ તૈયાર ન હાતા કે સરિતા છોકરા સાથે લગ્ન માટે આવી શરત મૂકતી હશે. અને આવી જ વાત બાકીના છોકરાઓની બાબતમાં શાંતિલાલને સાંભળવા મળી. એમણે શારદાબેનને વાત કરી, સાંભળી શારદાબેન સરિતા માટે લાલપીળાં થઈ ગયાં, ‘અલી છોકરી ! તારે છોકરા સાથે આવી વાત કરવાની?’

કેમ, કેવી વાત કરી મેં?’ સરિતાએ વડચકું ભરતાં શારદાબેનને પૂછ્યું.

તારી જાતને પૂછ, મને શું પૂછે છે? છોકરાને તે શું કહ્યું, એની તને ખબર નથી?’ શારદાબેન ગુસ્સામાં બોલ્યાં.

બારણે બાવળિયો ઉછેર્યો હોય તો, કેરીની અપેક્ષા રખાય? કાંટા જ ખાવા મળે!શાંતિથી સરિતા બોલી.

એટલે, તું કહેવા શું માગે છે, સીધી વાત કરને ! ઉદાહરણ મને ના આપીશ.શારદાબેન બોલ્યાં.

બે બરાબર બે ચાર જેવી મારી વાત સાવ સરળ છે. પણ તમારી બંનેની આંખે સ્વાર્થનાં પડળ ચઢી ગયાં છે, આથી મારી સીધી વાત પણ તમને સમજાશે નહીં.સરિતા બોલી.

કેવો સ્વાર્થ, સ્વાર્થના કેવા પડળ?’ શારદાબેન ચોંકી ઊઠ્યાં.

જાતને પૂછ મમ્મલી ! મારી દાદીને આ તારા ઘરમાં રહેવાનો હક નથી, એને બિચારીને વગર વાંકે, વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી, પછી હું તારી જ છોકરી છું, તું કરે એ પ્રમાણે મારે કરવું જ પડે. મારી સાથે મુલાકાતે આવતા બધા જ છોકરા સાથે, હું શરત કરું છું કે મારાં મમ્મી-પપ્પાને મારી દાદી ખૂંચતી હતી, આથી વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી, તારેય તારાં મમ્મી-પપ્પાને આપણા લગ્ન પછી, તરત આશ્રમમાં મૂકવાનાં હોય તો, હું તારી સાથે પરણવા તૈયાર છું. મારી શરત તને મંજૂર હોય તો, મને જણાવજે.સરિતાએ કહ્યું, સાંભળી શારદાબેન સ્તબ્ધ થઈ ગયાં.

બીજા દિવસે, શારદાબેન અને શાંતિલાલ, વૃદ્ધાશ્રમમાં ગયાં, સરિતાની દાદીને માનભેર ઘેર તેડી લાવ્યાં, સરિતા દાદીને ભેટીને ખૂબ રડી, દાદીએય છેડો વાળ્યો. શારદાબેન અને શાંતિલાલ ગળગળાં થઈ ગયાં. બંનેએ માની માફી માગી, એ પછીના મહિને રંગેચંગે સરિતા પરણી ગઈ.
(‘અખંડ આનંદસામયિકના જુલાઈ-૨૦૧૭ના અંકમાંથી સાભાર)


Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Recent Posts